સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના વધુ ૨૭ કેસ સાથે કુલ આંક ૧૭૩૫

વઢવાણ, સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે ત્યારે જિલ્લામાં વધુ ૨૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં જે તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે.

તેમજ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતાં તંત્રમાં ચીંતા જોવા મળી રહી છે ત્યારે જિલ્લામાં વધુ ૨૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં. જે તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં અને જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૧૭૩૫ ઉપર પહોંચ્યો હતો.

(11:42 am IST)