ભાવનગરમાં કોરોનાના ૩૮ કેસો : બે ના મોત
ભાવનગર,તા.૨૨: જિલ્લામાવધુ ૩૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૮૨૪ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા ૧૭ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ ૨૭ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા સિહોર ખાતે ૨, સિહોર તાલુકાના ખારી ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૨, ગારીયાધાર તાલુકાના મોટા ચારોડીયા ગામ ખાતે ૧, મહુવા ખાતે ૨, મહુવા તાલુકાના લીલવણ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ત્રાપજ ગામ ખાતે ૧ તેમજ તળાજા ખાતે ૧ કેસ મળી કુલ ૧૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૬ અને તાલુકાઓના ૧૫ એમ કુલ ૪૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
ભાવનગર શહેર ખાતે રહેતા ૨ કોરોના પોઝિટિવ દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
આમ જિલ્લામા નોંધાયેલા ૩,૮૨૪ કેસ પૈકી હાલ ૩૯૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૩,૩૬૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૨ દર્દીઓના અવસાન થયેલ છે.