News of Saturday, 22nd September 2018
ઉના આનંદગઢ ગુરૂકુળ દ્વારા જળ ઝીલણી એકાદશી
ઉનાઃ આનંદગઢ સ્વામિનારાયણ ગુરૂકુલ દ્વારા ટીમ્બિ ગામે શીતલા માતાજીના મંદિરે શાનાવાકીયા રોડ ઉપર રૂપેણ નદી કાંઠે શણગારેલી હોડીમાં સ્વામીજી એ ઠાકોરજીને બેસાડી જલવિહાર કરી આરતી કરી સત્સંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી જળ ઝીલની અગિારસ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ૧૦૦ થી વધુ ગામના હરિભકતો પધારી લાભ લઇ મહા પ્રસાદ લઇ ધન્ય બન્યાં હતાં.
(12:26 pm IST)