સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd September 2018

વડોદરાના પીએસઆઇના આપધાત પ્રકરણમાં ગોંડલનાં બંધિયા ગામના સરપંચ દ્વારા અત્મવિલોપનની ચિમકી

ગોંડલ, તા.૨૨: તાલુકાના બંધીયા ગામના સરપંચ ઓમદેવસિંહ ઇન્દ્રજીતસિંહ વાઘેલા ગાંધીનગર આઇ જી તેમજ ગૃહમંત્રીને પત્ર લખી વડોદરા પી.એસ.આઇ સંજયસિંહ શીવુભા જાડેજા દ્વારા કરાયેલ આપઘાતની યોગ્ય તપાસ કરવાની માંગ કરી જણાવ્યું હતું કે સંજયસિંહ જાડેજા દ્વારા લખાયેલા સ્યુસાઇડ નોટ શંકાઓ ઉભી કરે છે. તેમના ઉપરી અધિકારી તરફ ઇશારો કરે છે.

 તેમના ઉપરી અધિકારીઓ સંજયસિંહ પાસે ઇરાદાપૂર્વક ગેરકાયદે કામ કરાવવા માગતા હતા તેવી અમોને શંકા છે. આશરે દોઢ બે માસ પહેલા તેઓ અમને જયારે મળ્યા ત્યારે પણ વેદના વ્યકત કરી હતી આ અંગે યોગ્ય તપાસ કરવા અમારી માંગ છે. અન્યથા અમારા દ્વારા આગામી તારીખ ૨૯ના મુખ્યમંત્રીના નિવાસસ્થાને આત્મવિલોપન કરવામાં આવશે. તેવું અંતમાં જણાવ્યું હતું.(૨૨.૮)

(12:15 pm IST)