સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd September 2018

કુતિયાણાના બાવળાવદરમાં રાજકોટના રિક્ષાચાલકની હત્યા કરીને ફરાર ૩ શખ્સોની પોલીસ દ્વારા શોધખોળ

અગાઉ પત્નીની છેડતી નહીં કરવા ઠપકો આપ્યાનું મનદુઃખ રાખી દરગાહે દર્શન કરવા જતા દંપતીનો આરોપીઓએ પીછો કરેલઃ છરી વડે હુમલામાં વચ્ચે પડતા પત્નીને ઈજા

કુતિયાણા-પોરબંદર, તા. ૨૨ :. કુતિયાણાના બાવળાવદરમાં રાજકોટના રિક્ષાચાલકની છરી વડે હુમલો કરીને નાસી છૂટેલા રાજકોટના દિલીપ આંબાલાલ તથા ૨ અજાણ્યા શખ્સોને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

હત્યાના બનાવની કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરીયાદ મુજબ રાજકોટ હાઉસીંગ બોર્ડ દૂધ સાગર ડેરી ઉપર રહેતા જાવેદ રહીમભાઈ ઘાંચી નામનો રિક્ષાચાલક અને તેની પત્ની રેશ્મા કુતિયાણા પાસે બાવળાવદર દરગાહે દર્શન કરવા ગયા હતા ત્યારે તેની પાડોશમાં રહેતા દિલીપ આંબાલાલ પટેલ અને બે અજાણ્યા શખ્સો તેનો પીછો કરેલ અને બાવળાવદર ચોકમાં જાવેદ ઘાંચીને છરીના ઘા ઝીંકીને હત્યા કરીને નાસી છૂટયા હતા.

પત્ની જાવેદને બચાવવા પત્ની રેશ્મા વચ્ચે પડતા તેમને ઈજા થતા કુતિયાણામા સારવાર અપાય હતી. હત્યાના બનાવની જાણ થતા પોરબંદર એસ.પી. ડીવાયએસપી, એલસીબી તથા કુતિયાણા પીએસઆઈ ઘટના સ્થળે દોડી આવેલ હતા. હત્યા થયેલ જાવેદની લાશનું કુતિયાણા હોસ્પીટલે પોસ્ટમોર્ટમ કરીને લાશને જાવેદના પરિવારજનોને સોંપી હતી.

આરોપીએ અગાઉ જાવેદની પત્નીની છેડતી કરતો હોય જેની ના પાડતા જેનુ મનદુઃખ રાખીને પીછો કરી છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી નાખી હતી.(૨-

 

(12:12 pm IST)