સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd August 2019

અમરેલીના શેડુભારમાં રાંધણ છઠ્ઠે લાડવા બનાવતી વખતે સ્ટવમાં ભડકોઃ દંપતિ દાઝયું

નતાબેન મકવાણા અને પતિ અશોકભાઇ મકવાણાને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૨: અમરેલીના શેડુભારમાં ગઇકાલે રાંધણ છઠ્ઠ હોઇ લાડવા બનાવતી વખતે સ્ટવમાં ભડકો થતાં મહિલા દાઝી જતાં અને ઠારવા જતાં પતિ પણ દાઝતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

શેડુભાર રહેતાં નિતાબેન અશોકભાઇ મકવાણા (દલિત) (ઉ.૪૦) ગઇકાલે લાડવા બનાવી રહ્યા હતાં ત્યારે સ્ટવમાં ભડકો થતાં      તેણી દાઝી ગઇ હતી. ઠારવા જતાં પતિ અશોકભાઇ રાજાભાઇ મકવાણા (ઉ.૪૫) આગ બુઝાવવા આવતાં તે પણ લપેટમાં આવી જતાં બંને દાઝી ગયા હતાં. અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.

અશોકભાઇ ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે અમરેલી જાણ કરી હતી.

(11:32 am IST)