સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd August 2019

ભાવનગરમાં દવાના વેપારી લોહાણા કિર્તીભાઇ રેલીયાનો ફલેટની ગેલેરીમાંથી ઝંપલાવી આપઘાત

ભાવનગર : શહેરના વાઘાવાડી રોડ, ગુલીસ્તાનની સામે આવેલ અહમ કોમ્પલેક્ષમાં ચોથા માળે રહેતા અને દવાના હોલસેલ વેપારી લોહાણા કિર્તીભાઇ વ્રજલાલ રેલીયા ઉ.વ.પ૦ એ તેના ફલેટની ગેલેરીમાંથી નીચે ઝંપલાવતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું.

બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આપઘાત કરનાર વેપારીએ બિમારીથી કંટાળી આ પગલુભર્યુ હોવાનું પ્રાથમીક તપાસમાં ખુલવા પામ્યું છે. આ અંગે એ ડિવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:16 am IST)