સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd July 2019

બોટાદના તુરખામાં વિજળી પડતા ર પિતરાઇ ભાઇના મોત

ભાવનગર તા. રર : બોટાદના તુરખા ગામે વીજળી પડતા બે પિતરાઇ ભાઇઓના મોત નિપજતા પરિવારમાં શોક છવાયો હતો.

મળતી વિગતો મુજબ બોટાદ જીલ્લાના તુરખા ગામે વાડી વિસ્તારમાં રહેતા મહેશભાઇ ગોરાભાઇ ઝાપડીયા ઉ.ર૩ અને મહેશભાઇ દિલુભાઇ ઝાપડીયા ઉ.રર નામના બે પિતરાઇભાઇઓ પોતાની વાડીની ઓરડીમાં હતા ત્યારે વરસાદ અને ગાજવીજ સાથે વાડીની ઓરડી પર વીજળી પડતા બન્ને પિતરાઇભાઇઓના બનાવ સ્થળે જ કરૂણ મોત નિપજયા હતા.

બનાવની જાણ થતા જ ગ્રામ્યજનો દોડી આવ્યા હતા આ બનાવથી પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

શોક લાગતા યુવાનનું મોત

તળાજામાં લક્ષ્મીનગર વિસ્તારમાંં રહેતા નાનજીભાઇ વિઠ્ઠલભાઇ જાદવ ઉ.૩પ ને તેના ઘરે ઇલે.મોટર ચાલુ કરવા જતા શોકલાગતા હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

 

(11:41 am IST)