સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 21st July 2019

વાંકાનેર નજીક માંધાતા મંદિરમાં મૂર્તિ ખંડિત : ભારે તોડફોડ કરાતા ભાવિકોમાં રોષ ભભૂક્યો

ધાર્મિક લાગણી દુભાતા દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ :પોલીસને અરજી

વાંકાનેર નજીક આવેલ માંધાતાના મંદિરમાં કોઈ અજાણ્યા શખ્સોએ મૂર્તિ ખંડિત કરીને ભારે તોડફોડ કરતા ભવિકોમાં ભારે રોષ ફેલાયો છે ધાર્મિક લાગણી દુભાઈ હોવાથી ભાવિકોએ પોલીસને લેખિત અરજી આપીને દોષીતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

  આ અંગે મળતી વિગત મુજબ વાંકાનેર શહેર આવેલ કુંભારપરા શેરી નજીક રહેતા જીજ્ઞાશાબેન મેર નામના મહિલાએ વાંકાનેર પોલીસને લેખિતમાં ફરિયાદ કરી હતી કે,વાંકાનેર શહેરના થાનરોડ, જાલી બસ સ્ટેશન નજીક તેમના ઇષ્ટદેવ માંધાતાનું મંદિર આવેલું છે.એ મંદિરમાં કોઈ અજાણ્યા શખ્સોએ ભારે તોડફોડ કરીને તેમની ધાર્મિક લાગણી દુભાવી છે.

  વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ ગતતા.20ના રોજ તેમના ઇષ્ટદેવના મંદિરે ગયા હતા.ત્યારે માંધાતા મંદિરની કોઈ અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હોવાનું માલુમ પડ્યું હતું.જેમાં મૂર્તિને ખંડિત કરી ઓટલો,પૂજા,તથા ફોટામાં તોડફોડ કરવામાં આવી હતી.અજાણ્યા શખ્સોને આ કૃત્યથી તેમની ધાર્મિક લાગણીને ભારે ઠેસ પહોંચી છે.તેમણે આ કૃત્ય કરનાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

(12:11 am IST)