મોરબીના નવા ધરમપુરમાં ભરત પરમારની હત્યા
જુની અદાવતનો ખાર રાખીને ૯ શખ્સોએ જીવલેણ હુમલો કરીને ઢીમ ઢાળી દીધુ
(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૨: મોરબી તાલુકાના ધરમપુર ગામે જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર નવશખ્સોએ જીવલેણ હુમલો કરતા તેનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસ હત્યાનો ગુનો નોધી અને આરોપીને ઝડપવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ મંજુબેન ભરતભાઈ પરમાર (ઉ.૨૮) એ ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ ભરતભાઈને જૂની માથાકૂટ ચલતી હોય તેનો ખાર રાખી આરોપી જાદવભાઈ ઉર્ફે જાદો, બેચરભાઈ ભરવાડ, બેચરભાઈ ભરવાડનો ભાઈ શલીયો ભરવાડ, મૈલો કોળી, મૈલા કોળીનો ભાઈ સંજય કોળી, બળીયો કોળી, બળિયા કોળીના સંબધી વાવડીથી રહેવા આવેલ તે, શિવો કોળી અને શિવા કોળીનો દીકરો બાબો કોળી એ એક સંપ કરી લાકડાના ધોકા તથા પથ્થરોને વડે જગદીશભાઈ અને ભરતભાઈ પરમાર માર મારતા તેને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં ભરતભાઈનું સારવાર દરમિયાના મોત નીપજયું હતું આ અગે તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોધી તે અગેની વધુ તપાસ પી.આઈ.એમ.આર.ગોઢણીયા ચલાવી રહ્યા છે.