સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd June 2019

કાંગશીયાળીમાં સંડાસનું ભુંગળુ રિપેર કરવા પ્રશ્ને વાલજીભાઇ પર હુમલો

રાજકોટ તા. ૨૨: લોધીકાના કાંગશીયાળી ગામે રહેતાં વાલજીભાઇ ભીખાભાઇ ચાવડા (ઉ.૪૦) નામના વણકર યુવાનને ગામના જ લાલઅભાઇ તથા રામભાઇએ ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ થયા હતાં. વાલજીભાઇના કહેવા મુજબ તેણે સંડાસના ભુંગળાની લાઇન નખાવી હોઇ તે લિક હોઇ કામ રાખનાર લાલાભાઇને રિપેર કરવાનું કહેતાં તેણે ના પાડતાં પોતે પૂર્વ સરપંચને આ બાબતે જાણ કરશે તેમ કહેતાં લાલાભાઇ અને રામભાઇએ મળી હુમલો કર્યો હતો. તેમ વાલજીભાઇએ જણાવતાં લોધીકા પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(11:25 am IST)