કાલાવડમાં મોબાઇલની દુકાનમાં ચોરી
જામનગર તા. ૨૨ : કાલાવડના ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને બસ સ્ટેન્ડ પાસે મોબાઈલની દુકાન ચલાવતા ભાવીન ગોરધનભાઈ અકબરીએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, કોઈ અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીની દુકાનનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી મોબાઈલ, મેમરી કાર્ડ વિગરેે મળી કુલ રૂ. ર૭૩૦૦ ની મતા ચોરી કરી લઈ ગયેલ છે.
આદિવાસી યુવકે ઝેર પી આયખું ટુકાવ્યું
જોડીયા તાલુકાના મેધપર ગામે રહેતા દિનેશ રાવલાભાઈ નાઈક ઉ.વ. ૪૦ એ પોલીસમાં જાહેર કરેલ છે કે સુમોભાઈ છગનભાઈ નાઈક ઉ.વ. ૪૦ એ કોઈપણ કારણોસર રમેશભાઈની વાડીમાં ઝેરી દવા પી લેતા સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજેલ છે.
ઉધાર નહીં ચૂકવી શકતા યુવકે ઝેર પી આયખું ટુકાવ્યું
લાલપુર તાલુકાના નાના લખીયા ગામે રહેતા ખેંગાર વિરાભાઈ મકવાણાએ પોલીસમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણ જનાર ડાયાભાઈ ખેંગારભાઈ મકવાણા ઉવ. ૩પ છુટક મજૂરી કામ કરતો હોય અને કામ રાખેલ તેને રૂ. ૩પ હજાર આપવાના બાકી હોય જેથી પોતે પોતાની મેળે જોગવડ પાટીયા પાસે ઝેરી દવા પી લેતા સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજેલ છે.