સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd June 2018

જસદણના શીવરાજપુરમાં ૪ નિલ ગાયના મૃતદેહ મળ્યા

પીવાના પાણીમાં ઝેર ભેળવી દીધાની ચર્ચાઃ વનવિભાગ દ્વારા તપાસ

જસદણ તા.૨૨: જસદણના શીવરાજપુર ગામની સીમમાંથી બે અલગ-અલગ જગ્યાઓ પરથી ચાર નિલગાયના મૃતદેહ મળી આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ છવાયો છે.

આ ઘટનાની જાણ થતાં જીવદયા પ્રેમી જીતુભાઇ મોડા, ચાંપરાજભાઇ મોડા અને વનવિભાગની ટીમ દોડી ગઇ હતી. જસદણ પંથકમાં નિલગાયો ખેતીના પાકને નુકશાન કરી રહયા છે. એવી ભિતિને ધ્યાનમાં લઇ કેટલાંક અસામાજિક તત્વોએ નિલગાયોને પીવાના પાણીમાં ઝેર ભેળવી દીધું હોય ત્યારે સવારે એક જગ્યાએ ત્રણ અને એક જગ્યાએ એક મૃતદેહ પડયા હતા એમાંય કાળજુ કંપાવનારી ઘટના એ હતી કે એક નિલગાય ગર્ભવતી હતી.આ અંગે વનવિભાગની ટીમ દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:55 am IST)