સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd May 2019

બોટાદનાં ઢસા તાલુકાના માંડવા ગામનાં પુલ પાસે કાર પલ્ટી જતા માતા-પુત્રના મોતઃ ૩ ને ઇજા

મૂળ ઉનાના હાલ વાપી રહેતા પ્રજાપતિ પરિવારને અકસ્માત નડયો

આટકોટ-બોટાદ, તા.,૨૨: રાજકોટ ભાવનગર હાઇવે પર આજે અકસ્માતની ઘટના બની હતી જેમાં બોટાદ જિલ્લાના ઢસા ગામ પાસે આવેલ માંડવા ગામના રેલ્વે પુલ પર આજે સવારે વેગનઆર કાર નંબર જી.જે. ૧૫ એ.ડી. ૭૩૬૪ના કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કાર પુલ પર આવેલ રેલીગ સાથે અથડાય હતી અને પલટી મારી ગઇ હતી જેમાં કારમાં સવાર ૬ લોકો પૈકીના  માતા-પુત્રના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા અન્ય ત્રણ લોકોને ઇજા થઇ હતી.

આ અકસ્માતમાં મૂળ ઉનાના અને હાલ વાપી રહેતા અતુલભાઇ બાબુભાઇ પરમાર (ઉ.વ.૪પ-પ્રજાપતી) તથા તેમના માતુશ્રી ધનલક્ષ્મીબેન બાબુભાઇ પરમાર (ઉ.વ.૬પ)ના ઘટના સ્થળે મોત નિપજતા મૃતદેહને સિંહોરની હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

જયારે હિનાબેન અતુલભાઇ પરમાર (ઉ.વ.૪ર) વન્સ અતુલભાઇ પરમાર (ઉ.વ.૧૬) અને કૃપા અતુલભાઇ પરમાર (ઉ.વ.રર)ને સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત પગલે રંઘોળા અને ઢસા ૧૦૮ તથા સામાજીક કાર્યકર મનીષભાઇ દવેને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવેલ અને ઇજાગ્રસ્તને સારવાર માટે ભાવનગર હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.

(4:15 pm IST)