સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd May 2019

જુનાગઢ ભીખાભાઇ જોષી પરીવારને સાત્વના આપતા કોંગ્રેસના આગેવાનો

જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષીની પૌત્રી પરી મનોજભાઇ જોષી  હૈદરાબાદ ખાતે અકસ્માત થતા પરીનું મોત નિપજતા સમગ્ર જોષી પરીવાર ઉપર આભ ફાટયું હતું. પરીવારની લાડકવાયી દિકરીને અંતિમ યાત્રામાં સૌ લોકોની આંખો ભીની થઇ ગઇ  હતી. ગઇકાલે સ્વ. પરી જોષીને શ્રધ્ધા સુમન અર્પણ કરતા કોંગ્રેસના આગેવાન શકિતસિંહજી ગોહીલ, રાજકોટના પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ, ભીખાભાઇ જોષીના નિવાસસ્થાને જઇ સ્વ. પરીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. ઉપરોકત તસ્વીરમાં જોષી પરીવારને સાંત્વના આપતા શકિતસિંહજી ગોહીલ, ઇન્દ્રનીલ રાજયગુરૂ સાથે મનોજભાઇ જોષી પ્રો. ભરત જોષી સહીત પરીવારજનો નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોશી-તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:18 pm IST)