સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd May 2019

પંચાળા ઘેડના સ્વામિનારાયણ મંદિરે બિરાજતા ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ

માળીયાહાટીના તા.રર : તા.૨૩ને ગુરૂવારે પંચાળા ઘેડના સ્વામીનારાયણ મંદિરમાં બિરાજતા બાલસ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજનો ૩૯ મો વાર્ષિક પાટોત્સવ કેશોદના ગોરધનભાઇ નાથાભાઇ ભુત પરિવાર દ્વારા ઉજવાશે.

પાટોત્સવ તા.રર બુધવારે સાંજે પ કલાકે પંચાળા ગામમાં વાજતે ગાજતે જળયાત્રા નિકળશે અને રાત્રે ૯ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ છે.

તા.૨૩ને ગુરૂવારે સવારે ૬-૩૦ થી ૭-૩૦ સુધી ઘનશ્યામ મહારાજનો મહાઅભિષેક પાટોત્સવ યોજાશે. ત્યારબાદ ૯ વાગ્યે દરબાર ગઢમાં સત્સંગસભા રાખેલ છે. સભામાં કોઠારીયાના ઘનશ્યામસ્વામી, પ્રેમપ્રકાશ સ્વામી, શ્રી હરીસ્વરૂપ સ્વામી પાટોત્સવનો અને પંચાળાની અક્ષરધામ તુલ્ય ભૂમીનો મહીમા સમજાવશે.

પંચાળાના સ્વામી મંદિરને સિરીજો અને ધજા પતાકાથી આબેહુબ શણગારેલ છે. પાટોત્સવમાં ગામે ગામથી તમામ ભકતોએ ખાસ પધારવા ડો.વિપુલભાઇ ભુતે જણાવેલ છે.

(11:41 am IST)