News of Wednesday, 22nd May 2019
સુરેન્દ્રનગરમાં બારણા વિનાના જર્જરિત શૌચાલયો
વઢવાણ : સુરેન્દ્રનગર ભારતપરામાં લગભગ બે હજારથી વધુ વસ્તી ધરાવતો આ પછાત વિસ્તાર છે. આ વિસ્તારમાં મહિલાઓ અને પુરૂષો માટેના શૌચાલયો અલગ અલગ હતા. આ શૌચાલયના બારણા દિવાલો છેલ્લા ઘણા જ સમયથી તોડી પાડવામાં આવેલ છે ત્યારે આ દિવાલ બારણા તોડી પડાયા હોવા છતાં પણ આ વિસ્તારના લોકો બારણા વગરના અને દિવાલ તોડેલા શૌચાલયમાં ખુલ્લામાં મજબૂરીથી શૈચાલય માટે જવું પડે છે. બારણા વિનાના જર્જરિત શૌચાલયની તસ્વીર.
(11:40 am IST)