સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

પોરબંદરમાં છેતરપીંડીના કેસમાં ફરાર મનસુખલાલ ઉર્ફે મનોજ ૧૬ વર્ષે ઝડપાયો

પોરબંદર તા.૨૨:  છેતરપીંડીના કેસમા ૧૬ વર્ષથી ફરાર મુળ પોરબંદર અને હાલ નવસારી રહેતો મનસુખલાલ ઉર્ફે મનોજ મણીલાલ મોઢાને પોલીસે નવસારીથી પકડી પાડયો છે.

પોરબંદર પોલીસ અધિક્ષકની સૂચનાથી એલસીબીના પોલીસ ઇન્સપેકટર ડી.વી. બસિયા પીએસઆઇ બી.કે. ભારાઇના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર ઝાલા, રવિન્દ્ર ચાંઉ, વિજયરાજ, સુરેશભાઇ નકુમ, મસરીભાઇ વગેરેએ મનસુખલાલ ઉર્ફે મનોજને પકડી પાડયો હતો. આરોપીઓએ ૧૬ વર્ષે અનેક લોકો સાથે છેતરપીંડી કરીને રોકડ લઇ નાસી ગયેલ તેમની સામે કલમ ૪૦૬,૪૨૦ ઇમીગ્રેશન ૧૨૪ હેઠળ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુન્હો નોંધાયેલ છે.(૧.૧૫)

(12:55 pm IST)