News of Tuesday, 22nd May 2018
26મીએ ધ્રાંગધ્રામાં મહાપંચાયત કાર્યક્રમ ;હાર્દિક પટેલે ભાજપ કોંગ્રસના નેતાઓને આમંત્રણ પત્ર પાઠવ્યો
જીતુભાઇ વાઘાણી ,પરેશ ધાનાણી અને ડે ,સીએમ નીતિનભાઈ પટેલે લખ્યો પત્ર
રાજકોટ :આગામી 26મીએ ધાંગ્રધ્રામાં યોજાનારા મહા પંચાયત કાર્યક્રમ માટે હાર્દિક પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીને આમંત્રણ આપતો એક પત્ર લખ્યો છે. આ સાથે જ હાર્દિક પટેલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પણ આમંત્રણ આપ્યું છે.
આગામી 26 તારીખે ધાંગધ્રામાં મહા પંચાયત કાર્યક્રમ યોજાનાર છે. જેને લઈને હાર્દિક પટેલે ભાજપ અને કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોને પત્ર લખ્યો છે. જેમાં તેને આ કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ પાઠ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે આ કાર્યક્રમ પાટીદારોનો હોવાથી હાર્દિક પટેલે ભાજપ અને કોંગ્રેસને પાટીદાર નેતાઓને જ આમંત્રણ આપ્યું છે. અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે કહ્યું છે.
(12:41 pm IST)