વેરાવળના આજોઠામાં સમૂહલગ્ન
પ્રભાસ પાટણ : વેરાવળ તાલુકાના આજોઠા ગામે શેડયુલકાસ્ટ સર્વોદય સોસાયટી દ્વારા ૧૫મો સમૂહલગ્નોત્સવ યોજાયેલ જેમાં ૨૭ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડેલા કાર્યક્રમની શરૂઆત ઝાંઝરડાના મહંત અને સાંસદ શ્રી શંભુનાથ મહારાજે દિપપ્રાગટયથી લગ્નઉત્સવની શરૂઆત કરેલ હતી. શંભુનાથ મહારાજ અને વણવદન બાપુનું શાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવેલ તેમજ મહેમાનોને પુષ્પગુચ્છ અર્ર્પિને સન્માન કરેલ સંસ્થાના પ્રમુખ ભગવાનભાઇ સોલંકીએ સ્વાગત પ્રવચન કરતા જણાવેલ કે, ખોટા ખર્ચાઓથી બચાવ થાય તેવી નમ્ર અપીલ કરેલ શંભુનાથ મહારાજે નવદંપતિને આર્શિવાદ આપ્યા હતા, ધારાસભ્ય મોહનભાઇ વાળા એ વૈવાહિક જીવન સુખી અને સમૃધ્ધિમય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. સમૂહલગ્ન અખિલ, બીપીનભાઇ સોલંકી, ખીમજીભાઇ ચાવડા, આજણભાઇ પરમાર, ઉગાભાઇ પરમાર, ભરતભાઇ પરમાર, વીરાભાઇ ભજગોતર, વિનયભાઇ રાઠોડ, ડાયાભાઇ કાથડ અને પરસોતમ ભાઇ સોલંકી દ્વારા કન્યાઓને જુદી-જુદી વસ્તુઓ ભેટ આપવામાં આવેલ. સમૂહલગ્ન સમારંભની તસ્વીરો