સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

જામજોધપુર : કાઠીતડ બ્રહ્મસમાજ દ્વારા સમુહ યજ્ઞોપવિત

જામજોધપુર : લાલપુર તાલુકાના કાઠીતડ ગામે કાઠીતડ બ્રહ્મસમાજ દ્વારા સમુહ યજ્ઞોપવિત સમારોહ યોજાયો હતો. આ સમુહ યજ્ઞોપવિતમાં આર્શિવચન પાઠવવા શ્રી સ્વામીનારાયણ મંદિર કળાકુંજ સુરતના શ્રી નિલકંઠ ચરણદાસજી સ્વામી, સાંદીપની વિદ્યાનિકેતન - પોરબંદરના ભાગવતાચાર્ય હાર્દિકભાઇ જોષી, ઘુનડા સતપુરણધામ આશ્રમથી જેન્તીરામ બાપા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જયંતિભાઇ તેરૈયા (રાજુલા), અશોકભાઇ દવે (કાઠીતડ) દ્વારા મહેમાનોનું અભિવાદન કરાયુ હતુ.

(12:04 pm IST)