સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

પ્લગમાં પીન ભરાવા જતા તળાજાના જૂના શોભાવડના શ્રમીકનું શોક લાગતા મોત

ભાવનગર તા ૨૨ : તળાજાના જુના શોભાવડ ગામે રહેતા અને છુટક મજુરી કામકરી પરીવારનું ગુજરાન ચલાવતા શ્રમીકને પોતાનાજ ઘરે ઇલેકટ્રીક શોક લાગવાથી મૃત્યુ નિપજેલ.

તળાજા પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે જુના શોભાવડ ગામે રહેતા કોળી ધનજીભાઇ મોહનભાઇ ઢાપા (ઉ.વ.૪૫) આજે બપોરના ૧૧.૨૫ ના સુમારે પોતાના ઘરે વિજ ઉપકરણ એવા પ્લગમાં પિન નાખવા જતા છુટો વાયર હોઠપર અડી જતા શોક લાગતા બેભાન થઇ પડી ગયા હતા.

તળાજા હોસ્પીટલે ખસેડાતા ફરનપરના તબીબે મૃત જાહેર કરેલ. મૃતક છુટક મજુરીકરીજીવન નિર્વાહ ચલાવતા હતા. મૃતકના પિતા અને પુત્રનું તળાજા હોસ્પીટલે અકાળે અવસાનને લઇ આક્રંદ શોકની કાલીમાં છવાઇ હતી. (૩.૨)

(12:03 pm IST)