સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd May 2018

દ્વારકા ગોમતી નદીમાં ન્હાવા જતા જામનગરના માતા-પુત્રીનું મોત

જામનગર-ખંભાળીયાઃ યાત્રાધામ દ્વારકા ખાતે પરસોતમ મહિના નિમિતે ગોમતી સ્નાનનું ખુબ જ મહત્વ હોય છે. ત્યારે આજે જામનગરથી ગોમતી ઘાટ ખાતે ન્હાવા ગયેલ માતા-પુત્રીનું મોત જતા અરેરાટી વ્યાપી ગઇ છે. આજે બપોરે ગોમતી નદીમાં સ્નાન કરવા ગયેલ જામનગરના મૈયાબેન જીવુભાઇ ગોહેલ (ઉ.વ.૮૦) અને તેમના પુત્રી મનીષાબેન જીવુભાઇ ગોહીલ (ઉ.વ.૩પ) અચાનક તણાઇ જવાથી મોતને ભેટયા હતા. આ બનાવથી પરીવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(6:23 pm IST)