સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

આઠ દર્દીઓ સાજા થયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવ પ૭ માંથી રપ, પર આવતા રાહત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. રર :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસો હજુ મહીના પહેલા રોજ શૂન્ય અને એકાદ-બે થતાં હતા તે વધીને રોજના પ૭-પ૭ થતાં ભારે દોડધામ મચી ગઇ હતી જે પછી ૩પ થી ૪૦ અને છેવટે ગઇકાલે ર૪ કલાકમાં રપ કેસ જ નોંધાતા તંત્રને રાહત થઇ છે.

જિલ્લામાં ર૪ કલાકમાં માત્ર રપ કેસ કોરોના પોઝીટીવ નોંધાયા હતા જેમાં સૌથી વધુ ખંભાળીયા તાલુકામાં ૧૩, દ્વારકામાં સાત, કલ્યાણપુરમાં ચાર અને ભાણવડમાં એક કેસ નોંધાયો છે.

કુલ આઠ દર્દીઓ સાજા થતાં ડીસ્ચાર્જ થયા છે. જેમાં ખંભાળીયાના પાંચ, દ્વારકા, કલ્યાણપુર અને ભાણવડના એક એક છે.

(12:43 pm IST)