સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

કેશોદનાં અજાબના યુવાનનો આર્થિક પરિસ્થિતિથી કંટાળી જઇ આપઘાત

ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં મોત

જુનાગઢ તા.રર : કેશોદનાં અજાબનાં યુવાને આર્થિક પરિસ્થિતિ કંટાળી જઇ આપઘાત કરી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ.

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે રહેતા પ્રદિપભાઇ જેન્તીભાઇ વડારીયા (ઉ.વ.૪૦) નામનાં યુવાને ગઇકાલે રાત્રે ઝેરી દવા ગટગટાવી લેતા તેને કેશોદ સીએચસીમાં સારવાર માટે ખસેડવામાં આવેલ જયા તેનું મૃત્યુ થયુ હતુ.

પ્રાથમિક તપાસમાં મૃતક યુવકે આર્થિક પરિસ્થિતિથી કંટાળી જઇ મોતની સોડ તાણી લીધી હોવાનું ખુલ્યુ હતુ. વિશેષ તપાસ એએસઆઇ ડી.જે. ગોહેલ ચલાવી રહયા છે.

(11:47 am IST)