મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક સર્વજ્ઞાતિ કોવીડ કેર સેન્ટર શરુ કરાયું
યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ દ્વારા કોરોના કેર સેન્ટર કાર્યરત હાલ ૭૦ બેડ શરુ કર્યા, વધુ ૩૦ બેડની વ્યવસ્થા કરાશે
મોરબીમાં શ્રી યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ કોવીડ કેર સેન્ટર જુના બસ સ્ટેન્ડ નજીક શ્રી દશાશ્રી માળી વણિક વાડી ખાતે શરુ કરવામાં આવ્યું છે મુખ્ય દાતા મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા અને જયદીપ એન્ડ કંપની વવાણીયાના દિલુભા જાડેજા અને જયુભા જાડેજાના સૌજન્યથી શરુ કરવામાં આવી છે
મોરબી ખાતે કાર્યરત સર્વજ્ઞાતિ કોવીડ કેર સેન્ટરમાં હાલ ૭૦ બેડ શરુ કરવામાં આવ્યા છે તેમજ વધુ ૩૦ બેડની વ્યવસ્થા કરાશે યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત કોવીડ કેર સેન્ટરનો લાભ લેવા વ્યવસ્થા કમિટીના લાખાભાઇ જરિયા, જયુભા જાડેજા, પ્રદીપભાઈ વાળા, વાળા, રિશિપ ભાઈ કૈલા, અનિલભાઈ વર મોરા, કિરણભાઈ મહેશ્વરી, કેતન વિલપરા, મયુરભાઈ દફતરીની યાદી જણાવે છે વધુ માહિતી માટે હેલ્પલાઈન નંબર ૯૮૨૫૮ ૨૨૨૨૯ પર સંપર્ક કરી શકાશે