સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

મોરબીમાં કોરોના મહામારી સાથે માનવતા મહેકી, રાહતદરે મોસંબી-નાળીયેરનું વિતરણ

સરદાર કોમ્પ્લેક્ષ શનાળા રોડ મોરબી ખાતે રાહતદરે મોસંબી અને નાળીયેરનું વિતરણ કરાયું

મોરબીમાં કોરોના કહેર બેકાબુ બન્યો છે કોરોના કેસોનો રાફડો ફાટ્યો છે ત્યારે બીજી તરફ માનવતા નેવે મુકીને ફ્રુટના વેપારીઓએ ભાવોમાં વધારો કરી નાખ્યો હોય જેથી દર્દીઓ ફ્રુટ ખાઈ સકે તેવી સ્થિતિ રહી નથી ત્યારે મોરબીના સેવાભાવી દ્વારા રાહતદરે મોસંબી અને નાળીયેરનું વિતરણ શરુ કરાયું છે

મોરબીમાં કોરોના મહામારીને ધ્યાને લઈને સેમસંગ કેર દ્વારા રાહતદરે મોસંબી અને નાળીયેરનું વિતરણ શરુ કરવામાં આવ્યું છે મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરદાર કોમ્પ્લેક્ષ શનાળા રોડ મોરબી ખાતે રાહતદરે મોસંબી અને નાળીયેરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લે તેવો અનુરોધ સેમસંગ કેરના સંચાલક દ્વારા કરવામાં આવ્યો છે

(9:38 pm IST)