સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

ધારીના અમૃતપુરમાં સંતાન સુખ પ્રાપ્ત ન થતાં શાયરાબેનનો એસિડ પી આપઘાત

રાજકોટ તા. ૨૨: ધારીના અમૃતપુરમાં રહેતી શાયરાબેન નાશીરખાન નાડ (ઉ.૩૦) નામની મુસ્લિમ પરિણીતાએ ૧૮મીએ બપોરે એસિડ પી લેતાં અમરેલી અને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહિ ગઇકાલે મોત નિપજતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.

આપઘાત કરનારના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતાં. પતિ ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેણીના માવતર પણ ધારી પાસે રહે છે. તેણીને લિવરની તકલીફ હોઇ તેના કારણે સંતાનસુખ પ્રાપ્ત ન થતાં ડિપ્રેશનમાં રહેતી હોવાથી આ પગલું ભરી લીધાનું તેના સગાએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમારે ધારી પોલીસને જાણ કરી હતી.

(12:24 pm IST)