સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd April 2019

પ્ર.પાટણમાં હનુમાન જયંતિની શોભાયાત્રા નિકળી

 પ્રભાસપાટણઃ હનુમાન જયંતિ નિમિતે શોભાયાત્રા નિકળેલ. આ શોભાયાત્રા હરભોલે મિત્ર મંડળ અને ગામનાં લોકો દ્વારા કાઢવામાં આવેલ હતી. આ શોભાયાત્રા પ્રભાસપાટણના મુખ્ય બજારમાં હનુમાનનાં મંદિરેથી કાઢવામાં આવેલ અને મુખ્ય બજાર, કોળીવાડા સહિત અન્ય વિસ્તારોમાં ગામનાં આગેવાનો અને વિશાળ લોકોની ઉપસ્થિતિમાં શોભાયાત્રા નિકળેલ જેમાં હનુમાનજીનાં જયઘોષ સાથે શોભાયાત્રા નિકળેલ. બાળકો દ્વારા વિવિધ વેશભુષા ધારણ કરીને શોભાયાત્રામાં જોડાયા હતા જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ હતા. શોભાયાત્રા નિકળી તે તસ્વીર.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(12:24 pm IST)