News of Thursday, 22nd March 2018
ગોંડલ વડવાળી જગ્યાએ લોહલંગરી બાપુનો ૫૪મો પાટોત્સવ તથા કંચનબાની ૯મી પૂણ્યતિથિ ઉજવાશે
ગોંડલ, તા. ૨૨ :. વડવાળી જગ્યાએ લોહલંગરી બાપુનો ૫૪મો પાટોત્સવ તથા માતુશ્રી કંચનબાની ૯મી પૂણ્યતિથિ શુક્રવારે ઉજવાશે. સવારે ૭ કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. બીડુ હોમવાનો સમય બપોરે ૧૧ કલાકે શોભાયાત્રા બપોરે ૪ કલાકે હરીહર પ્રસાદ સાંજે ૭ કલાકે તેમજ રાત્રે ૯ કલાકે સંતવાણી પૂનમબેન ગોંડલીયા એન્ડ ગ્રુપ રાજકોટ દ્વારા યોજાશે. તેમજ રવિવારે રામનવમી નિમિતે રામયજ્ઞ સવારે ૯ થી ૧૨ તેમજ રામ જન્મોત્સવ બપોરે ૧૨ વાગ્યે યોજાશે. તેમજ બપોરે ૧ વાગ્યે ફળાઆહાર યોજાશે ત્યારે સર્વે ભકતજનોને પધારવા આમંત્રણ જગ્યાના મહંત સીતારામ બાપુની યાદી જણાવે છે.
(6:47 pm IST)