મોરબી બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા શિવરાત્રીની ઉજવણી
મોરબીઃ શિવરાત્રિના પાવન પર્વ નિમિત્ત્।ે બ્રહ્માકુમારી સેન્ટર મોરબી દ્વારા શિવરાત્રી નિમિત્ત્।ે સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયાના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર મોરબીના રાજયોગીની બ્રહ્માકુમારી ચંદ્રિકાબહેન કે જેઓ આ સેવાકેન્દ્રના મુખ્ય સંચાલિકા છે તેઓ શિવરાત્રી વિશે જણાવે છે કે શિવરાત્રી એટલે કોઈ એક દિવસની રાત્રી નહીં, પરંતુ આ કળિયુગરુપી રાત્રીમાંથી પરમપિતા પરમાત્મા શિવ આપણને બધાને સારા સંસ્કારો, સારા ગુણો ધારણ કરવાનું શીખવીને નવી સતયુગી દુનિયા અને ઘર ઘર ને સ્વર્ગ સમાન બનાવવા માટે જ્ઞાન આપે છે. આ ગુણો અને સંસ્કારોને ધારણ કરીએ તો જ સાચી શિવરાત્રી મનાવી કહેવાશે. ઉપરાંત મનને જેટલું સકારાત્મકતા, સારા વિચારો આપીશું તેમજ આધ્યાત્મિકતા તરફ વાળીશુ તો જ દ્યરે દ્યર સ્વર્ગ સમાન બનશે.સાંસદ મોહનભાઈ કુંડારીયા એ પણ જણાવ્યું કે જેમ એક ગામ અથવા શહેર ત્યારે જ સ્વચ્છ અને સુંદર બને છે જયારે એ ગામના લોકો જાગૃત હોય અને તે પણ સ્વચ્છતા જાળવે તો ગામ અથવા શહેર સુંદર બને છે. તેવી જ રીતે દરેક વ્યકિત પોતે પણ પોતાના મનને સકારાત્મક, પવિત્ર અને આધ્યાત્મિક વિચારો દ્વારા સુંદર બનાવે એ જ પરમાત્મા શિવ ને શિવરાત્રી નિમિત્ત્।ની આપણી સાચી શ્રદ્ઘા અથવા સમર્પણ કહેવાશે.શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી તે તસ્વીર.