ધોરાજી પટેલ કન્યા મંદિરે વિદાય સમારોહ
ધોરાજીઃ શ્રી લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ ધોરાજી સંચાલિત શાળા વી.જે. એસ.પટેલ કન્યા વિનય મંદિર ધોરાજીમાં ધો.૧૦ અને ૧૨ની વિદ્યાર્થીની બહેનોના વિદાય સમારંભમાં પંચકુડી ગાયત્રી યજ્ઞ-ગોંડલ ગાયત્રી પરિવારના સહયોગથી વિદ્યાર્થીની બહેનોના હસ્તે કરવામાં આવ્યો હતો. વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીની બહેનોનો ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલ. ત્યારબાદ યજ્ઞની પૂર્ણાહુતિ બાદ તમામ વિદ્યાર્થીની બહેનોને મહાપ્રસાદ રાખેલ. શાળા મંડળના પ્રમુખશ્રી કિશોરભાઇ પટેલ તથા મેનેજીંગ ટ્રસ્ટી ધર્મેશભાઇ પટેલ, મેનેજર શ્રી કિરણભાઇ પેથાણી ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યા કુંદનબેન ભેસાણીયા તથા સમગ્ર સ્ટાફ પરિવારે કરેલ હતું. યજ્ઞ યોજાયો તથા તેજીસ્વી છાત્રોને ઇનામો અપાયાં તે તસ્વીર.(૧.૨)