સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd January 2021

વાંકાનેર સિવીલ હોસ્પિટલમાં કોરોના રસીકરણનો પ્રારંભ

વાંકાનેર તા. ૨૨ : લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે કોવિડ વેકિસનનું આજરોજ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આગમન થયું હતું અને પ્રથમ આરોગ્ય કર્મીઓને વેકિસનેશન શરૂ કરવામાં આવ્યું હતું.

વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આજરોજ કોવિડ-૧૯ રસીકરણ અંતર્ગત પ્રથમ ૮૦ જેટલા આરોગ્ય કર્મીઓ અધિકારીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો, જેમાં મોરબી જીલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરા એ પણ વેકિસનેશન કરાવ્યું હતું, તદુપરાંત શહેરનાં તબીબો એ પણ વેકિસનેશન કરાવ્યુ હતું, વેકિસનેશન બાદ તમામ આરોગ્ય કર્મીઓને અડધો કલાક સુધી obzerveshan હેઠળ રાખવામાં આવ્યા હતા અને કોઈ ને પણ કોઈ જાત ની આડ અસર ન થઈ હોવાનું વાંકાનેર આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

(11:46 am IST)