સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd January 2021

વાંકાનેરઃ જુના પાદરવાળા શ્રીહનુમાનજી મંદિરે ધુન-ભજન

વાંકાનેરઃ ત્રંબાના જૂના પાદરવાળા શ્રી હનુમાનજી મંદિર ખાતે સંગીતમય ' સુંદરકાંડ'ના પાઠ, શ્રી હનુમાન ચાલીસા, ધૂન, સંકીર્તન, યોજાયેલ હતા જેમાં 'જયશ્રી ભોલેબાબા ગ્રુપ' રાજકોટ શ્રી અલ્કેશભાઈ સોની ( જોડિયાવાળા ) તેમજ તેમનું ભોલેબાબા ગ્રુપ , રાજકોટ તથા શ્રી કષ્ટભંજન મંદિર, પરસાળા નગર, રાજકોટના શ્રી દિલીપભાઈ ત્રિવેદી તેમજ તેમનું ગ્રુપ, બન્ને ગ્રુપના સાઈઠ જેટલાં ભાવિક ભકતજનોએ અનેરા સંગીતની સહેલી સાથે વિધ વિધ ઢાળમાં શ્રી સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા, ધૂન, સંકીર્તનની રંગત જમાવેલ હતી.

(11:32 am IST)