જામનગરમાં પીધેલી હાલતમાં એસઆરપી જવાન જયેન્દ્રસિંહ પઢીયાર ઝડપાયો
જામનગર તા. ૨૨ : મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રોહિતસિંહ અશ્વિનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રર–૧–૧૯ના કાના છીકારી ગામે આ કામના આરોપી એસ.આર.પી. ગ્રુપ નં.૧૭માં નોકરી કરતો જવાન જયેન્દ્રસિંહ રણજીતસિંહ પઢીયાર રે. જામનગરવાળો જાહેરમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવતા ઝડપાઈ ગયેલ છે.
શ્યામનગરમાંથી મોટરસાયકલ ચોરાયું
અહીં સીટી 'સી' પોલીસ સ્ટેશનમાં પૃથ્વીરાજસિંહ જશુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪–૧ર–ર૦૧૮ ના રાત્રીના ગોકુલનગર શ્યામનગર શેરી નં.–પ સોઢા કલાસીસની બાજુમાં આ કામના ફરીયાદી પૃથ્વીરાજસિંહ એ પોતાના ઘર પાસે પોતાનું હીરોહોન્ડા મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.–૪–એ.આર.–૧૮૩૧, કિંમત રૂ.૧૦,૦૦૦ મોડલ વર્ષ ર૦૦૯ નું બ્લેક કલરનું પાર્ક કરે હતું ત્યાં કોઈ આ કામના આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.
ગોકુલનગરમાંથી મોટરસાયકલ ચોરાયું
અહીં સીટી-સી પોલીસ સ્ટેશનમાં મહેશભાઈ લવજીભાઈ કણજારીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૧–૧૯ના ગોકુલનગર સાયોના શેરી, કણજારીયા એન્ટરપ્રાઈઝ, બ્રાસપાર્ટના કારખાનાની બહાર આ કામના ફરીયાદી મહેશભાઈએ પોતાનું હિરોહોન્ડા મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.–૧૦–બી.ડી.–૦પ૭૦ બ્લેક તેમજ સીલ્વર કલરનું ર૦૧૧ વર્ષનું રૂ.૧૦,૦૦૦ હેન્ડલ લોક મારી પાર્ક કરેલ હતું ત્યાં કોઈ આ કામના આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.
સંતોષી માતાના મંદિર પાસેથી મોટરસાયકલ ચોરાયું
અહીં સીટી-સી પોલીસ સ્ટેશનમાં ફરિદભાઈ ઈસ્માઈલભાઈ શેખ એ ફરીયાદ નોંધાવી છે કે, આજથી ત્રણ દિવસ પહેલા સવારના ૯–૩૦ થી સાંજના ૮ વાગ્યા દરમ્યાન આ કામના ફરીયાદી ફરિદભાઈએ તેનું હીરોહોન્ડા મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.–૧૦–સી.એ.–પ૩૧૬ કિંમત રૂ.૩૦,૦૦૦નું સંતોષીમાતાના મંદિર ની બાજુમાં વાણંદની કેબીન પાસે પાર્ક કરેલ હતી અને હેન્ડલ લોક મારેલ ન હતું ત્યાં કોઈ આ કામના આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.
વર્લીમટકાના આંકડા લખતો શખ્સ ઝડપાયો
અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એલ.સી.બી.ના હેડ કોન્સ. ફિરોજ ગુલામહુશેન દલ એ ફરીયાદ નોધાવી છે કે, તા.ર૧–૧–૧૯ના ધરારનગર સાત નાલા પાસે આ કામના આરોપી ઉમર ઉર્ફે ઉમલો કાદરભાઈ અલીભાઈ ધુધા રે. જામનગરવાળો વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.ર૮ર૦ તથા વર્લીમટકાનું સાહિત્ય સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.
અગમ્ય કારણોસર યુવતિ એ ગળાફાંસો ખાધો
ધરારનગર–૧ માં રહેતા કાનાભાઈ કટણાભાઈ ગમારા એ સીટીબી-ડિવીઝનમાં જાહેર કરેલ છે કે, તા.ર૧–૧–૧૯ના આ કામે મરણ જનાર જયોતીબેન કાનાભાઈ કટણાભાઈ ગમારા, ઉ.વ.ર૭, રે. ધરારનગર–૧, જામનગરવાળા એ પોતાના હાથે પોતાના ઘરે પતરાવાળા મકાનમાં લોખંડની જાળીમાં લીલા કલરના દુપટા વડે ગળાફાંસો ખાઈ જતા મરણ ગયેલ છે.(૨૧.૧૪)