સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

ધ્રાંગધ્રાના ધર્મેન્દ્રગઢમાં એસઓજીનાં કર્મચારી ઉપર હુમલો

વઢવાણ, તા. ૨૨ :. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ધર્મેન્દ્રગઢ ગામ ખાતે સુરેન્દ્રનગર શહેરના એસઓજી શાખા ઉપર તપાસ માટે ગયેલ ત્યારે હુમલો થયો હોવાનુ હાલમા બીનસત્તાવાર જાણવા મળી રહ્યુ છે.

ત્યારે હાલમાં સુરેન્દ્રનગરથી ટીમો ધર્મેન્દ્રગઢ જવા માટે રવાના થઈ રહી હોવાનુ બિનસત્તાવાર જાણવા મળી રહ્યુ છે.

એસ..જી. શાખા ઉપર હુમલો થયો હોવાના હાલ લોકચર્ચામાં ચાલી રહ્યુ છે ત્યારે તપાસમાં ગયેલ હોય ત્યારે ઘટના અત્યારે બનેલ હોવાનું જાણવા મળી રહ્યુ છે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક સહિતની ટીમો ઘટના સ્થળે જવા માટે રવાના થઈ હોવાનું જાણવા મળી રહ્યુ છે.(-૨૧)

(4:23 pm IST)