સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

જેન્તી ભાનુશાલીની હત્યાના વિરોધમાં જામનગરમાં બાઇક રેલી-રજૂઆત

જામનગરઃ કચ્છી ભાનુશાલી વાડી ખાતે તાજેતરમાં થયેલ ભાજપના નેતા જેન્તી ભાનુશાલીની હત્યાને લઇને પ્રાર્થનાસભા યોજાઇ હતી. ત્યારબાદ બાઇક રેલી યોજી જિલ્લા કલેકટર કચેરીએ તાત્કાલિક આ હત્યાના બનાવમાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા રજુઆત કરી છે. આ પ્રાર્થના સભા અને રેલીમાં કચ્છી અને હાલારી ભાનુશાલી સમાજના આગેવાનો જોડાયા હતા. (તસ્વીરઃ કિંજલ કારસરીયા.જામનગર)

(3:44 pm IST)