કચ્છના અંજારમાં પોલીસને બાતમી આપી હોવાનો ખાર રાખીને માર મારતા યુવકનું મોત
ભુજ તા. ૨૨ : ગત તારીખ ૨૧/૧૨ના ભુજ પોલીસે ૨૧ બોટલ દારૂ સાથે અંજારના યુવાન કિશોર ભવાન પરમારને ઝડપયો હતો. આ યુવાને દારૂનો જથ્થો પોતે અંજારના સુધીરદાન ગોપાલદાન ગઢવી પાસેથી લાવ્યો હોવાની બાતમી પોલીસને આપી હતી.
ત્યાર બાદ ગત અઠવાડિયે ૧૨ તારીખે કિશોર પરમાર સુધીરદાન ગઢવીને ત્યાં તેના પાણી ન પ્લાન્ટ ઉપર ગયો હતો. ત્યાં સુધીરદાન અને તેની સાથે મહાવીરસિંહ મહિપતસિંહ ઝાલા નામના શખ્સએ કિશોર પરમારે પોલીસને બાતમી આપી હોવાના ખાર રાખી મારામારી અને ગાળાગાળી કરી ઢોર માર માર્યો હતો.
ઇજાગ્રસ્ત અવસ્થામાં ઘાયલ કિશોરને તેના ભાઈ એ બીજા દિવસે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જેનું સારવાર દરમ્યાન મોત નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો છે. જોકે, મોત બાદ કિશોરના પરિવારજનો એ લાશ અંજાર પોલીસ સ્ટેશને લઈ જવાનો આગ્રહ રાખતા હરકતમાં આવેલ અંજાર પોલીસે બુટલેગર સુધીરદાન સહિત અન્ય આરોપીને ઝડપી લીધા હતા.(૨૧.૧૩)