વાંકાનેરના કાળીધારમાં મોહનભાઇ કુંડારીયા દ્વારા સ્નેહમિલન
વાંકાનેર સાંસદ મોહનભાઇ કુંડીરાયા દ્વારા વઘાસીયા ગામના કાળીધાર ખાતે સ્નેહમિલનનો એક કાર્યક્રમ રવિવારે યોજાયેલ હતો જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિકો તથા વાંકાનેર વિસ્તારના બહોળી સંખ્યાના અગ્રણીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ લલીતભાઇ મહેતા, જીલ્લા ભાજપના શ્રી ગડારા, જીલ્લા ઉપ પ્રમુખ યુસુફ શેરસીયા, મહામંત્રી હિરેન પારેખ, ભાજપના કારોબારી સભ્યો સહિત ગુલમહંમદભાઇ બ્લોચ, ભુપતભાઇ પઢીયાર, અમરશી મઢવી, માલધારી અગ્રણી રાણાભાઇ બાંભવા, ગોવિંદભાઇ, ક્ષત્રિય આગેવાનો, કોળી સમાજના કાળુભાઇ, ભરત ઠાકરાણી, ધમભા ઝાલા, દશુભા, મહેન્દ્રસિંહ,દલિત આગેવાનો, મુસ્લિમ આગેવાનો ભાટીએન, જાકીર બ્લોચ, સલીમ, ગોવિંદભાઇ રાઠોડ તથા તાલુકાભરના તમામ જ્ઞાતિના લોકોએ હાજરી આપી મોહનભાઇને ફરી સાંસદ પદે બેસાડવા નિર્ધાર વ્યકત કર્યો હતો. મોહનભાઇ કુંડારીયાએ જણાવેલ કે મારા સાંસદ સમયમાં રાજકોટ સૌરાષ્ટ્રને એઇમ્સ હોસ્પીટલ, નેશનલ હાઇવે સિકસ લેન તથા સુરેન્દ્રનગર થી રાજકોટ ડબલ ટ્રેકની યુધ્ધના ધોરણે કામગીરીથી સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને જે સુવિધાઓ મળવાની છે તે મારા માટે લોકોના આર્શિવાદ લેવા સમાન છે. મારા કોઇ વિરોધી નથી કે હું કોઇનો વિરોધી નથી. મારાથી કોઇ ભૂલ થઇ હોયતો માફ કરીને આગામી લોકસભાની ચુંટણીમાં કમળના નિશાનને મત આપી નરેન્દ્રભાઇના હાથ મજબૂત કરવા અંતમાં સાંસદ મોહનભાઇએ અપીલ કરી હતી સંચાલન રાજભા ઝાલાએ કર્યુ હતું (તસ્વીરઃ અહેવાલઃ મહમદ રાઠોડ-વાંકાનેર)