સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd January 2019

મોરબીની સગીરાનું અપહરણ

રંગપરનો નીલીયા ગુલાબસિંગ સામે ગુનો નોંધાયો

રબી તા. ૨૨ : મોરબી પંથકમાંથી સગીરા અપહરણના અનેક કિસ્સા બની રહ્યા છે જેમાં લગ્નની લાલચે સગીરાનું અપહરણ થતું હોય છે જેમાં મોરબીના ગ્રામ્ય પંથકમાંથી વધુ એક સગીરાનું અપહરણ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના ગ્રામ્ય પંથકમાં રહીને મજુરી કરતા મૂળ એમપીના વતનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની સગીર વયની દીકરીને આરોપી નીલીયા ગુલાબસિંગ (રહે. હાલ રંગપર ગામની સીમ) લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયાની ફરિયાદ નોંધાવી છે.

(10:27 am IST)