News of Tuesday, 22nd January 2019
હળવદમાં ભાગવત સપ્તાહમાં કથા શ્રવણમાં લીન થતા ભકતજનો
હળવદ તા.રરઃ લક્ષ્મીનારાયણ મંદિરની વાડીમાં શ્રી રામબાલકદાસજી મહારાજની ૨૮મી પુણ્યતિથી નિમિતે પ્રતિ વર્ષની જેમ પરંપરાગત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
કથામાં વકતા તરીકે લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપકરામજી મહારાજ-વ્યાસપીઠ ઉપર બીરાજી કથાનું રોચક દષ્ટાંત સહિત શ્રોતાઓને રસપાન કરાવી રહયા છે.
કથાનું સ્થળ યોગેશ્વર ધામ, સંકટમોચન હનુમાનજીની જગ્યા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની વાડી હળવદ ખાતે કથાનો સમય સવારે ૯ થી ૧૨ અને બપોરે ૨.૩૦ થી પ કલાક સુધી કથાની પૂર્ણાહુતિ તા. ૨૩ને બુધવારે થશે. કથાનું રસપાન શ્રવણ કરવા લોકો ઉમટી રહયા છે.(૧.૧)
(9:38 am IST)