વિક્રમભાઈ માડમના સાસુની તબિયત નાજૂકઃ અધવચ્ચેથી પાછા ફરી ઉના-વાસદ ગયા
રાજકોટ : આજે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસના અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીએ વિધિવત ચાર્જ સંભાળ્યો છે, ત્યારે કોંગ્રેસના જામનગરના સીનીયર ધારાસભ્ય શ્રી વિક્રમભાઈ માડમ આ શપથવિધિમાં હાજર રહી શકયા ન હતા. અકિલાના તસ્વીરકાર કિંજલ કારસરીયા સાથેની ટેલીફોનિક વાતચીતમાં શ્રી વિક્રમભાઈએ જણાવેલ કે નિયત કાર્યક્રમ મુજબ હું પરિવાર સાથે ગઈકાલે અમદાવાદ જવા રવાના થયેલ પણ રાત્રે ૧૦:૩૦ આસપાસ ધ્રોલ પાસે પહોંચતા મારા સાસુ અત્યંત બિમાર હોવાનો ફોન આવતા અમે વાસદ - ઉના તરફ ધ્રોલથી જ વળી ગયા હતા.
આજે પણ શ્રી વિક્રમભાઈએ વાસદ હોવાનું જણાવેલ. તેઓ સાંજે ઉનાથી હવાઈમાર્ગે ૬ વાગ્યે અમદાવાદ પહોંચશે. ''અકિલા'' સાથે વાતચીતમાં તેમણે વધુમાં જણાવેલ કે મારે પક્ષ સાથે કોઈ વિખવાદ નથી કે કોઈથી દુઃખ પણ નથી.
વિરોધ પક્ષના નેતા તરીકે શ્રી વિક્રમભાઈ માડમે પણ દાવેદારી નોંધાવી હતી. તા.૨૪ના રોજ તેમની મેરેજ એનીવર્સરી હોયછ તેઓ સપરિવાર અમદાવાદ જવા નિકળેલ અને ત્યાં તેમણે હોટલ બુકીંગ સહિતની વ્યવસ્થા પણ કરી લીધેલ.