સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st December 2020

તળાજા તાલુકા પંચાયતની ચુંટણીમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે

ભાવનગર તા.૨૧ : ભાવનગરતળાજા ખાતે આમ આદમી પાર્ટીની બેઠક મળી હતી.પ્રથમ બેઠક જ કહી શકાય કે કોંગ્રેસની મળતી બેઠકો કરતા દ્યણા સારા પ્રમાણ માં કાર્યકરો આમ આદમી પાર્ટી ની બેઠકમાં જોવા મળ્યા હતા.આવનાર તળાજા તાલુકા અને તાલુકા ની જિલ્લા પંચાયત ની બેઠકો પર આમઆદમી પાર્ટી ચૂંટણી માં ઝપલાવવા નિર્ણય લેવાયો હતો.

આગામી ફેબ્રુઆરી માસમાં તળાજા તાલુકા પંચાયત અને ભાવ.જિલ્લા પંચાયત ની ચૂંટણી આવશે.હાલ તેવું વર્તાઈ રહ્યું છે. આ ચૂંટણી માં મતદારો ને ત્રીજો વિકલ્પ આમઆદમી પાર્ટી નો મળી રહશે. ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી ચૂંટણી જંગમાં ઝંપલાવશે જેને લઈ ત્રી પાખીયો જંગ ખેલાશે.

તળાજા ખાતે આમ આદમી પાર્ટી ની મળેલ બેઠકમાં પચાસેક જેટલા કાર્યકરો પ્રથમ બેઠકમાજ ઉપસ્થિત રહ્યા હોવાનું દશરથભાઈ ડોડીયા એ જણાવ્યું હતું.તમામ કાર્યકરો,આગેવાનો શિસ્તબંધ પાર્ટીના નામ લોગા વાળી ટોપી માં જોવા મળ્યા હતા.

બેઠકમાં તાલુકા પંચાયત ની ૨૮ અને તાલુકામાં આવતી જિલ્લા પંચાયત ની ૮ બેઠકો મળી તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવા માટે કવાયત તેજ કરવામાં આવી છે. સૂત્રોએ ઉમેર્યું હતુંકે અમુક બેઠકો પર ઉમેદવારો ની પસંદગી પણ થઈ ગઈ છે.સ્થાનિક ગામડામાં રહેતા અને જાણીતા ચોખી પ્રતિભા ધરાવતા ચહેરા પર પસંદગી ઉતારવામાં આવશે.

નોંધનીય છેકે આમઆદમી પાર્ટી ની લાંબા સમય પછી મળેલ જાહેર બેઠકમાં સારી કહી શકાય તેટલી સંખ્યા માં કાર્યકરો ની ઉપસ્થિતિ હતી.

(11:42 am IST)