સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st December 2020

મોરબીના સ્ટેશન રોડ પર નંદકુંવરબા ધર્મશાળામાં ર.ર૭ કરોડના ખર્ચે રૈનબસેરા તૈયાર કરાશે

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ર૧:  નગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ પર આવેલ નંદકુંવરબા ધર્મશાળા ખાતે ૨.૨૭ કરોડના ખર્ચે રૈન બસેરા બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી છે અને એક વર્ષમાં રૈન બસેરા બનાવવા માટે આયોજન હાથ ધરાયું છે અહી ૨૧૯ લોકો રહી સકે તેવી વ્યવસ્થા કરાશે જેમાં એક રૂમમાં ત્રણ વ્યકિત રહી શકશે તો પુરુષો અને સ્ત્રીઓ માટે રહેવાની અલગ અલગ વ્યવસ્થા પણ રાખવામાં આવશે. રૈનબસેરા જયાં બનવાનું છે તે રેલ્વે સ્ટેશન નજીક હોવાથી વાહન પાર્કિંગ સુવિધા ગ્રાઉન્ડ ફ્લોર ખાતે કરાશે તો બે માલનું બિલ્ડીંગ બનાવવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેથી રખડતું ભટકતું જીવન ગુજારતા લોકોને અહી આશ્રય મળી રહેશે.

(11:30 am IST)