સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 21st November 2021

ભાજપના કાર્યકરનું ચૂંટાયેલા અપમાન કરે તે કોઇકાળે સહન ન કરી શકાય: સી.આર.પાટીલ

જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે શહેર અને જિલ્લા ભાજપના કાર્યકરોને સ્નેહમિલન માં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે સંબોધન કરી વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર લોકોને સન્માનિત પણ કર્યા

જામનગરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ઓશવાળ સેન્ટર ખાતે ભાજપનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ સમારોહ પૂર્વે ટાઉનહોલ થી ઓશવાળ સેન્ટર સુધી રોડ શો યોજાયો હતો. 1કી.મી. બાઈક રેલીમાં ખુલ્લી જીપમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સ્નેહમિલનમાં પહોંચ્યા હતા.ઓશવાલ સેન્ટરમાં જિલ્લા-શહેર ભાજપનું સ્નેહમિલન દરમ્યાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ નું અદકેરું સન્માન કરાયું હતું અને આ વેળાએ પાર્ટીના કાર્યકરોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકરનું ચૂંટાયેલા અપમાન કરે તે કોઇકાળે સહન ન કરી શકાય. ભાજપના કાર્યકરો ને સચિવાલયમાં ચા-પાણી અને જમાંડવાનું પણ ચૂંટાયેલા મંત્રીઓએ કરવું પડશે. અને માર્મિક ટકોર કરતા કહ્યું હતું કે મંત્રીઓ નવી કેડર ઉભી કરવા બદલાય છે. ભાજપમાં મનામણા-રિસમણા ની પ્રથા નથી. તેમ કહી જણાવ્યું હતું કે, ભાજપની પેઇઝ કમિટીનો પરચો કોંગ્રેસને ખબર છે. કોંગ્રેસ માં ઇન મીન ને ટીન છે એમાં પેઇઝ કમિટી ના બને તેમ કહી સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસને ટોણો પણ માર્યો હતો.

2014 અને 19માં મોદી સરકારે કોંગ્રેસને બસમાં બેસાડી દીધી છે. અને એ પણ પંચર થઈ ગઇ છે. ડિસેમ્બર 2022માં અશ્વ ફરી આવવાનો છે તેમ કહી સી.આર પાટીલે ગુજરાતમાં ચૂંટણી પૂર્વે ભાજપના કાર્યકર્તાઓ માં સોંપ્યું હતું પેઇઝ સમિતિને પેઇઝ ને જ જીતાડવા અપીલ કરી કહ્યું હતું કે, દરેક બુથમાં 150 સભ્યો કરવા છે. જામનગરને વેકસીન ની જેમ દરેકમાં પહેલા રહેવાની આદત પાડવા સીઆર પાટીલે ખાસ હળવી શૈલીમાં ટકોર કરી હતી. અને કહ્યું હતું કે , ભાજપનો કાર્યકર્તા જીતવા નિકળ્યો છે અને જીતીને બતાવીશું.
જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે શહેર અને જિલ્લા ભાજપના કાર્યકરોને સ્નેહમિલન માં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે સંબોધન કરી વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર લોકોને સન્માનિત પણ કર્યા હતા. ( તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)

(1:04 am IST)