જેતપુરમાં પૂ. જલારામબાપા મંદિરે પૂજન, અન્નકોટ, મહાઆરતી-પ્રસાદ વિતરણ કાર્યક્રમો
(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૧ :.. સંત શીરોમણી પૂ.જલારામ બાપાની આજે રર૧ મી જન્મ જયંતિ હોય તેના ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં લોકોએ આંગણામાં રંગોળી, દીવા પ્રગટાવ્યા છે. અત્રેના જુનાગઢ રોડ પર આવેલ જલારામ મંદિરે સવારે જલારામ જયંતી નિમિતે પૂ. બાપાને ષોડસોપ્ચાર વિધીથી પુજન વિજયભાઇ જીવરાજાનીના હસ્તે કરવામાં આવેલ આખો દિવસ અખંડ રામધુન બપોરે અન્નકોટ ધરાવવામાં આવશે સાંજે મહાઆરતી બાદ પ્રસાદ વિતરણ કરાશે. મંદિરમાં પ્રવેશતા તમામે માસ્ક પહેરવા ફરજીયાત ઉપરાંત સેનેટાઇઝરનો ઉપયોગ કરવામાં આવશે. સોશ્યલ ડીસ્ટન્સ સાથે લોકો જલારામ બાપાના દર્શન કરવા ઉમટી પડયા છે.
જય જલારામ મિત્ર મંડળ દ્વારા દર વર્ષ શોભાયાત્રા કાઢવામાં આવે છે. તે આ વર્ષે રદ કરી આરતી કરેલ. મહાજન દ્વારા- ભોજન પ્રસાદનો કાર્યક્રમ રદ રાખેલ છે.