બગસરા-ભમાપુર રોડ પર ઝેરી લાડવા ખાવાથી પાંચ ગાયોના મોત
બગસરા તા ૨૧ : બગસરા-ભમાપુર બાય પાસ રોડ પર આવેલ મુકેશ રીબડીયાની ખેતીની જમીન સામે આઠ ગાયો પડી હોવાના સમાચર મળતા લોકોનાં ટોળે ટોળા દોડી આવેલ અને તપાસ કરતા સ્થળ પરથી એક લાડવો મળી આવતા કોઇ અજાણ્યા શખ્સે ઝેરી લાડવા ખવડાવી ગાયોને મોતને ઘાટ ઉતરાવાની હિન પ્રવૃતિ કરી હોવાનું જણાતા, પશુ ડોકટરને બોલાવતાં પાંચેય ગાયોને મૃત જાહેર કરતા અને ત્રણ ગાયોને બચાવવા ડોકટરોએ પ્રયત્ન કરી રહયા છે.
બગસરાના નદીપરામાં રહેતા ભરવાડ મેરા પરસાલડીયાએ ફરીયાદ નોંધાવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ અને અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી ગાયોના પી.એમ. કરવાનું જણાવેલ.
હિન્દુઓમાં ગાયોમાં તેત્રીસ કરોડ દેવતા હોવાનું માનવામાં આવે છે ત્યારે કોઇ અજાણ્યા શખ્સના આવા હિન કૃત્ય સામે લોકો ફીટકાર વરસાવી રહયા છે. આ બનાવની જાણના ગોૈ વંશ પ્રેમીઓ પણ દોડી આવેલ અને કસુરવાન સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે. આ સમગ્ર ઘટનાની તપાસ જે.આર. દાંતી ચલાવી રહયા છે.