સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st October 2019

સોમનાથ મહાદેવના દર્શને અમિતભાઇ શાહઃ ઉષ્માભર્યું સ્વાગત

પ્રભાસ પાટણઃ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહે તેમનાં પરિવાર સાથે સોમનાથ મહાદેવનાં દર્શન-પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહે સોમનાથ પહોંચી સોમનાથ મહાદેવનાં દર્શન,અભિષેક,પૂજા કરી સાંધ્ય આરતીમાં તેઓશ્રી સહભાગી થયા હતા. શ્રી અમિતભાઇ શાહે સોમનાથ દાદાને શીશ નમાવી લોકોનાં રક્ષણ,કલ્યાણ અને સુખશાંતિની પ્રાર્થના કરી હતી. સોમનાથ મંદિરનાં મુખ્ય પુજારી શ્રી ધનંજયભાઇ દવેએ શાસ્ત્રોકત વિધિથી શ્રી અમિતભાઇ શાહને પુજા કરાવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા પછી શ્રી અમિતભાઇ શાહ આજે પ્રથમ વખત ગીર-સોમનાથ જિલ્લાની મૂલાકાતે આવ્યા હતા. સોમનાથ મહાદેવનાં દર્શન કરી તેઓશ્રીએ ધન્યતા અનુભવી હતી. સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે.લહેરીએ સ્વાગત સાથે મંત્રીશ્રીને સોમનાથ મંદિર પરિસરમાં યાત્રીકો સબંધિ વિકાસકાર્યોથી પણ વાકેફ કર્યા હતા. સોમનાથ દાદાનાં દર્શન પૂર્વે સાગરદર્શન ખાતે શ્રી અમિતભાઇ શાહનું સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા,શ્રી ચુનીભાઇ ગોહેલ,રાજય બીજ નિગમનાં ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવા,પૂર્વ મંત્રીશ્રી જશાભાઇ બારડ,જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી રૈયાબેન જોલોંધરા,નગરપાલિકાનાં પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી,જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર,કાજલી માર્કેટીંગ યાર્ડનાં ચેરમેનશ્રી ગોવિંદભાઇ પરમાર,ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં ડાયરેકટરશ્રી કીશોરભાઇ કુહાડા અગ્રણીશ્રી મહેન્દ્રભાઇ પીઠીયા,લખમણભાઇ ભેંસલા,ડાયાભાઇ જોલોંધરા,કલેકટરશ્રી અજય પ્રકાશ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર,નગરપાલિકા પૂર્વ પ્રમુખ જગદીશભાઇ ફોફંડી,ટ્રસ્ટીશ્રી જે.ડી.પરમાર,સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજરશ્રી વિંજયસિંહ ચાવડા સહિતનાં મહનુભાવોએ ઉપસ્થિત રહીને સ્વાગત કર્યું હતુ.

(11:35 am IST)