સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st September 2021

મોરબી વાંકાનેર હાઈવે પર રિક્ષાનું ટાયર નીકળી જતા રિક્ષાએ પલટી મારી : એકનું મોત.

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ઓટો રિક્ષાનું આગળનું વ્હીલ નીકળી જતા રિક્ષામાં બેઠેલ યુવાનનું મૃત્યુ નિપજયુ હતું જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે .
મળતી માહિતી મુજબ વાંકાનેરના પંચાસર ગામે રહેતા અબ્દુલગફાર ઈબ્રાહીમભાઈ પઠાણ (ઉ.૩૬) એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મોટાભાઈ ગુલામહુશેન ઇબ્રાહીમભાઇ પઠાણ (ઉ.વ.૪૦, રહે.પંચાસર, તા.વાંકાનેર) ગત તા.૧૮ના રોજ બસીરભાઇની ઓટો રીક્ષા જીજે ૦૩ એયુ ૪૧૮૪ માં બેસીને વાંકાનેરથી પોતાના ગામ તરફ જતા હોય ત્યારે ઓટો રીક્ષા પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવતા વાંકાનેર-મોરબી ને.હા. રોડ જડેશ્વર ચેમ્બર્સની સામે ઓટો રીક્ષાનુ આગળનુ ટાયર નીકળી જતા રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી અને ગુલામ હુસેનભાઈનું મૃત્યુ નીપજ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે તો વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:53 pm IST)