સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 21st September 2020

ધોરાજી સરકારી હોસ્પિટલમાં આજ થી કોવિડ સેન્ટરનો પ્રારંભ : ૩૫ બેડ ધરાવતી સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે કોરોના પોઝિટિવ ની સારવાર થશે : ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર મામલતદાર તેમજ ડોક્ટરો અને સામાજિક સંસ્થાના આગેવાનોની હાજરીમાં સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ને ખુલ્લું મુકાયું : ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ અને શહેરના પત્રકારોના પ્રયાસથી ધોરાજીની જનતાને વિનામૂલ્યે લાભ મળશે

ધોરાજી: ધોરાજીમાં કોરોના એ કાળો કેર સર્જ્યો છે ત્યારે 1000 કેસ તરફ જઇ રહ્યું છે ધોરાજી આવા સમયમાં ધોરાજીમાં સરકારી કોવીડ સેન્ટર ન હોવાને કારણે રાજકોટ સુધી લોકોને જવું પડતું હતું અને રાજકોટ જવામાં લોકોને વિશ્વાસ ન હતો કે ત્યાં વ્યવસ્થિત સારવાર મળશે જેના કારણે લોકો રાજકોટ જતા ન હતા આવા સમયે ધોરાજીના વેપાર ઉદ્યોગ મહામંડળ ના પ્રમુખ લલીતભાઈ વોરા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ  વિગેરે એ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલને સંબોધીને ધોરાજીના ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આ સાથે રાજ્યના મુખ્યમંત્રી સુધી ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી હતી.

       જેના અનુસંધાને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ધોરાજીના આગેવાનોની રજૂઆત સાંભળીને ધોરાજી ની જનતા માટે ધોરાજીના સરકારી હોસ્પિટલમાં જ અદ્યતન બિલ્ડિંગની અંદર સરકારી કોવિડ સેન્ટર ની મંજૂરી આપી હતી અને તાત્કાલિક યુદ્ધના ધોરણે સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટરની કામગીરીનો આરંભ કરી દીધો હતો અને ગઈકાલે રાત સુધીમાં કામ પૂર્ણ કરી દીધું હતું 

બાદ આજ રોજ ધોરાજી સરકારી હોસ્પિટલમાં 35 બેડ ધરાવતું કોવિડ સેન્ટર નો પ્રારંભ ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર ગૌતમ મિયાણી મામલતદાર કિશોર જોલાપરા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો જયેશ વસેટીયન ડો.રાજ બેરા ડો. વાછાણી નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ભરતભાઈ બગડા નયનભાઈ કુહાડીયા તેમજ ધોરાજી ની વિવિધ સામાજિક સંસ્થાના પ્રમુખો હોદ્દેદારો ડોક્ટરો વગેરેની હાજરીમાં આજરોજ કોવીડ સેન્ટરને ખુલ્લુ મુકાયું હતું

        ઉદ્ઘાટક ધોરાજીના ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી એ જણાવેલ કે ધોરાજીમાં કોરોના દર્દીઓનો વધારો થતા રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી સરકારી હોસ્પિટલમાં 35 બેડ ની સુવિધા સાથે કોવિડ સેન્ટર ને ખુલ્લુ મુકવામાં આવેલ છે આ સાથે સરકાર તમામ પ્રકારની સુવિધાઓ પણ દર્દીને વિનામૂલ્યે આપશે જેથી હવે દર્દીઓને બહારગામ જવાનો નહીં થાય ઘર આંગણે જ સારી સુવિધા પ્રાપ્ત થશે.

         તેમજ ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટીયન એ જણાવેલ કે ધોરાજીના સામાજિક સંસ્થાઓ અને આગેવાનોના પ્રયાસથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં 35 બેડ ધરાવતું અત્યંત આધુનિક સુવિધા ધરાવતું કોવિડ સેન્ટર ને આજરોજ ખુલ્લુ મુકવામાં આવેલ હજુ ન પડીએ 35 બેડની કોવીડ સેન્ટરની મંજૂરી મળવાની છે એટલે સરકારી હોસ્પિટલમાં 70 બેડ ની વ્યવસ્થાનો ધોરાજીના લોકોને લાભ મળશે

         આ સાથે ધોરાજીના સરકારી હોસ્પિટલના મુખ્ય ગેટ ઉપર થી  કોરોના પોઝિટિવ દર્દીઓનો પ્રવેશ કરવામાં આવશે અને કોરોના પોઝિટિવ લક્ષણ જેમને દેખાતા હશે તેઓના સેમ્પલિંગ પણ આજ બિલ્ડિંગમાં કરવામાં આવશે જેથી ધોરાજીની તેમજ ધોરાજી તાલુકાના લોકોને કરોના પોઝિટિવ દર્દીઓ હશે તેમને ગુજરાત સરકાર તરફથી વિનામૂલ્યે તમામ સુવિધાઓ પ્રાપ્ત થશે

અને કોવિડ સેન્ટર સરકારની ગાઈડલાઈન્સ મુજબ તમામ સારવાર ઘરઆંગણે ધોરાજીમાં થશે જે માટે ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી ડોક્ટરની ટીમ તેમજ સ્ટાફની ટિમ ધોરાજી ખાતે નિમણૂક કરી દીધી છે અને સોમવારથી કોવિંડ સેન્ટર શરૂ થશે

        આ સમયે ધોરાજી શહેર અને તાલુકાની જનતાને કોરોના પોઝિટિવ દર્દીઓના લાભાર્થે ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી કોવીડ સેન્ટર ની મંજૂરી આપતા ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ કરસનભાઈ માવાણી રમેશભાઈ શિરોયા બીપીનભાઈ મકવાણા રાજુભાઈ પઢીયાર તેમજ ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ કોયાણી સેક્રેટરી ભુપતભાઈ કોયાણી વિગેરે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો તેમજ ધોરાજી ની વિવિધ સંસ્થાઓ તેમજ ધોરાજીના પત્રકારો એ પણ સહકાર આપ્યો છે તે બદલ તેઓ નો પણ આભાર માન્યો હતો.

(3:21 pm IST)